Friday, March 24, 2017

ઈમાનદારી.

ઈમાનદારી.....
અત્યારે ચારે બાજુ સરપંચ ની ચૂંટણી ના પડઘમ સંભળાઈ રહ્યા છે. ક્યાંક વડીલો અને ગ્રામજનો ની એકતા અને સમજણ ના દર્શન સમરસ ગામ રૂપે થઈ રહ્યા છે તો ક્યાંક સામસામે ચૂંટણી જીતવા બાયો ચડાવતા પણ નજરે પડી રહ્યા છે. આવો જ કંઈક માહોલ આજ થી 50-60 વર્ષ પહેલાં વડા ના ગોંદરે જોવા મળી રહ્યો હતો. (સમય માં ફેરફાર હોઈ શકે છે.) મોટાભાગે વાઘેલા દરબારો, ઠાકોરો , જૈન વાણીયા, રબારી, પટની, હરિજન એમ કહો કે તમામ વર્ણ ના લોકો આ ગામ માં રહેતા હતા. ગામ પ્રમાણ માં મોટું હતું પણ એકબીજાના ની ઈજ્જત કરીને બધા જ લોકો સંપી ને શાંતિ થી રહેતા હતા. ગામ માં મુખ્ય ધંધો ખેતી હતો. આમ તો ગામ 24 ગામનું જાગીરદાર હતું અને આજુબાજુ ના વિસ્તાર માં દરબારો ની આણ વર્તાતી હતી. પરંતુ દેશ પ્રજાસતાક થયા પછી ના કાયદા ના કારણે જાગીરદારી ખતમ થઈ ગઈ હતી અને બીજા કાયદાઓ ના લીધે ગામ પૂરતી જમીન દરબારો પાછે બચી હતી. ગામ માં એકતા અને સમજણ હતી એટલે ચૂંટણી થતી નહોતી. ( આ ગામ માં સરપંચ ની પહેલી ચૂંટણી 2005 માં આઝાદી પછી પહેલી વાર થઈ હતી જોકે છેલ્લા 2 term થી ચૂંટણી થતી નથી . એમ કહો કે આઝાદી ના આટલા વર્ષો મેં આ ગામ માં એક જ વાર સરપંચ ની ચૂંટણી થઇ છે.) તો એ સમયે ગામ ભેગું થયું અને નક્કી થયું કે 2.5 વર્ષ સરપંચ તરીકે ધારસિંહ વાઘેલા અને 2.5 વર્ષ સરપંચ તરીકે બાલાભાઈ શાહ રહેશે.
એ સમયે બનાસ માં સારું એવું પાણી રહેતું હતું અને ગામ નદી ના કાંઠે હોવાથી જમીન સોનુ પેદા કરતી હતી . પરંતુ જાગીરી માંથી નવા નવા બહાર આવેલા હોવાથી મોટા ભાગની ખેતી પટેલો કરતા હતા. નદી વિસ્તાર ની મોટા ભાગ ની જમીન પટેલો એ વાવેલી. એમાં પટેલો એ આ બધી જમીન ખરીદવા માટે દરબારો ને ઓફર આપી. એમની સારી ઓફર ના કારણે નદી વિસ્તાર માં મોટા ભાગના જમીન માલિકો જમીન વેચવા માટે તૈયાર થઈ ગયા એમ કહો કે ગામ આખું તૈયાર હતું. આ વાત એ વખત ના સરપંચ શ્રી ધારસિંહ જોડે પહોંચી તો એમને પહેલા ગામ લોકો ને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ સમજવા તૈયાર નહોતું. આ બાજુ ધારસિંહ વાઘેલા એ પણ નક્કી કરી રાખ્યું હતું કે એમની હયાતી માં તો એક તસુ જમીન વેચવા નહીં દઉં. એ સમયે સરપંચ ની પરવાનગી ની જરૂર હશે ત્યારે આજ થી 50-60 વર્ષ પહેલાં એ પટેલો એ ધારસિંહ વાઘેલા ને લાખો રાણી છાપના રૂપિયા ની ઓફર કરી ખાલી સહી કરવાં માટે અને એમની જમીન પણ નહીં વેચવા ની શરતે. પણ ઈમાનદારી અને પ્રજા કલ્યાણ હંમેશ જેના હૃદય માં હોય એવો રાજપૂત નો દીકરો કદી વેચાય ખરો. પટેલો ની લાખો (આજ ના સમય માં એની કિંમત આંકવી ભી મુશ્કિલ છે) નો ઓફર ઠુકરાવી દીધી એટલું જ નહીં પણ એ સમયે હજારો વીઘા જમીન માં ઉનાળુ બાજરી ની વાવણી કરેલી અને એ પાકી ને લનવા નો સમય હતો એ સમય ધારસિંહ વાઘેલા એ આખા ગામ ના ઢોર ઢાંખર બાજરી માં છુટા મુકાવી અને પોતે એકલા એ ખેતરો માં ગયેલા. એમની ઈમાનદારી ના કારણે કેટલાય ગામવાસીઓ ની જમીન આજે એમની પાછે છે. જ્યારે જ્યારે ગામ માં સરપંચ ની ચૂંટણી નો માહોલ આવે છે ત્યારે દુશ્મનો ના મુખે પણ એક જ વાત હોય છે કે ધારસિંહ વાઘેલા જેવો સરપંચ હવે ક્યારેય ના થઈ શકે.
એમના સરપંચ કાળ દરમિયાન એમને ગામ ના ગોંદરે સમાજમંદિર બનાવેલું જે આજે પણ અડીખમ ઉભું છે અને એ સમયે આખા ગામે ત્યાં એમનું નામ કોતરવાની વાત કરેલી પણ એમને નહીં માનેલું.
લેખન - વિરમસિંહ વાઘેલા.
માહિતી - ગામ ના વડીલો પાછેથી સાંભળેલી.

No comments:

Post a Comment

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...