Thursday, September 6, 2018

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત્યે જે પ્રેમ અને હૂંફ હતી એને લોકો હવે વ્યક્ત કરી દેશ ના જવાનો ને એવો સંદેશ આપવા લાગ્યા છે કે આખો દેશ તમારી અને તમારા પરિવાર ની સાથે છે...અને આ હૂંફ સૈનિકો ની તાકાત માં અદમ્ય વધારો કરશે એમાં કોઈ બેમત નથી..
ઘણા મુદ્દે તમે મોદીજી ની સરકાર ને કઠેડા માં ઉભી કરી શકો છો છતાં પણ સૈન્ય પ્રત્યે વ્યક્ત થતી લોકો ની આ ભાવના ને બહાર લાવવામાં મોદીજી સરકાર નો મહત્વ નો ફાળો છે એને નકારી ના શકો.. હા સીધી રીતે સરકાર કદાચ કઈ કર્યું કે નહીં સેના માટે એ અલગ વસ્તુ છે પરંતુ મોદીજી ના ભક્તો દ્વારા ભલે ગમે તે ઉદેશ્ય થી જે રીતે સૈનિકો ને સન્માન આપવા માટે નો પ્રચાર કરવામાં આવ્યો છે એ માટે ભક્તો ની પ્રશંશા કરો એટલી ઓછી છે.. આની પહેલા મુખ્યમંત્રી રહેલા મોદીજી દ્વારા મૃતઃપ્રય થવા જઈ રહેલા હિન્દૂ તહેવારો ને જે રીતે જીવિત કરી વિશ્વ ફલક પર લઈ જવામાં આવ્યા છે એના વિશે કદાચ મેં ક્યાંક લખ્યું હતું.. રાષ્ટ્રવાદ ના નામે પ્રજા માં ધાર્મિક અને સામાજિક હિન્દૂ તહેવારો, ભારતીય સૈન્ય અને ગયો પ્રત્યે લોકો માં જે ભાવના નો જન્મ થયો છે એ મોદીજી ની સરકાર અને એમના ભક્તો નું એક અદ્વિતિય સફળ કાર્ય છે જે ભારતીય પરંપરા ને જાળવી રાખવામાં મદદરૂપ થશે..બેશક આગળ ની સરકારો આના પ્રત્યે હંમેશા ઉદાસીન રહી હોય એવું પ્રતીત થાય છે..
તણખો :
મોદીજી ની સરકાર આવ્યા પછી ગુજરાત ની ચૂંટણી માં રાહુલ ગાંધી નો જે ચહેરો સામે આવ્યો એને સાબિત કર્યું કે ધીરે ધીરે રાહુલ ગાંધી પરિપક્વ થઈ રહ્યા છે અને આનો શ્રેય પણ મોદીજી ને આપવો રહ્યો..

No comments:

Post a Comment

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...