Thursday, September 6, 2018

Gandhi ane Saval - 2

દરેક માણસ માં બુદ્ધિ આંક વત્તા ઓછા પ્રમાણ માં હોય એવું વિજ્ઞાને સાબિત કર્યું છે એટલે કે કેટલાક ની બુદ્ધિ સારી હોય તો કેટલાક ની ધીમી સ્પીડ હોય .. એ કુદરતી પણ છે અને માણસ ની વાંચન વૃતિ પર આધારિત પણ છે .. પરંતુ કેટલાક લોકો પાસે તીવ્ર બુદ્ધિ હોવા છતાં તેનો ઉપયોગ કરવાની જગ્યાએ જાહેર સ્થળો પર જ્યારે બુદ્ધિ નું પ્રદર્શન કરે એટલે સ્વાભાવિક રીતે એમની ગણતરી મૂર્ખાઓ માં થઈ જાય.. ગાંધીજી એ રેટીઓ અપનાવ્યો શા માટે ?? જ્યારે ગાંધીજી દેશ માં આવ્યા ત્યારે દેશ ની પ્રજા લગભગ કંગાળ હતી અને ઇંગ્લેન્ડ ની મિલો નું કાપડ ભારત ની બજારો માં ખડકાતું હતું.. ગાંધીજી એ સ્વદેશી અપનાવવાનો નારો આપ્યો અને એની સાથે જ લોકો ને રોજગારી મળી રહે એ માટે હાથ વણાટ માટે રેટીઓ અપનાવ્યો જેનો ઉદેશ્ય વિદેશી કાપડ ની સામે સ્વદેશી કાપડ ની પેદાશ દ્વારા રોજગારી નું સર્જન અને ઇંગ્લેન્ડ ની મિલો ને આર્થિક રીતે તોડી પાડવાનો ઉદેશ્ય હતો.. રેટીઓ એ જીવાદોરી નું સાધન તો હતો જ સાથે ઇંગ્લેન્ડ ના માલ નો બહિષ્કાર કરવા માટે સ્વદેશી ઉત્પાદન નું સાધન હતો એટલે ઈંડિરેક્ટલી એ આઝાદી સમયે પ્રખ્યાત થયો અને આજે પણ ઉપયોગી છે..યાદ રહે કે ગાંધીજી ની સ્વદેશી ની હિમાયત પછી હજારો બહેનોએ પોતાની મહેંગી મિલો માં બનેલી સાડીઓ હસતા હસતા આગ ના હવાલે કરી દીધી હતી અને ખાદી લોકો ના પહેરવેશ નું પસંદિતા કાપડ બની ગયું હતું..
હવે કેટલાક મૂર્ખાઓ રેટિયા નું મહત્વ સમજ્યા વગર એની મજાક બનાવતી પોસ્ટ મૂકે છે ત્યારે ખરેખર એ લોકો ની મુર્ખામી અને બાળક બુદ્ધિ પર તરસ આવે છે...

No comments:

Post a Comment

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...