Thursday, September 6, 2018

Aazadi pachhi na Rajput

સમાજ નો એક વર્ગ જેને રાજકીય પક્ષો એ પોતાના સ્વાર્થ ખાતર દલિત બનાવી દીધો...
ગ્રંથો અને વેદો માં વર્ણવેલી વર્ણવ્યવસ્થા માં ક્યાંય જાતિવાદી ભેદભાવ નથી એવું દિવસે દિવસે સાબિત થતું જાય છે..તો એમ માની ને ચાલી શકાય કે ભારત માં વિદેશી આક્રમણો પછી જાતી વ્યવસ્થા માં ભેદભાવ ની શરૂઆત થઈ હોઈ શકે છે.. લાંબા સમય થી સમાજ માં ઘર કરી ગયેલી આ ભેદભાવ ની નીતિ સામે આઝાદ ભારત માં બંધારણ માં જ એવી જાતિઓ ના ઉદ્ધાર માટે નો પ્રબંધ કરવામાં આવ્યો..જો કે આઝાદ ભારત ના એ સમય ના નેતાઓ એ ગરીબ અને મહેનતુ લોકો માટે ની વ્યવસ્થા એવું નામ આપ્યું હોત તો કદાચ ભેદભાવ ને દૂર કરવામાં આપણે જલ્દી સફળ થઈ શક્યા હોત પરંતુ એમની જાતિ આધારિત વિકાસ ની નીતિ ભવિષ્ય માં ભારત ને કેટલું નુકશાન કારક સાબિત થશે એનો અંદાજ એ લગાવી શક્યા નહી... આઝાદી સમય થી 1989 સુધી મારી જાણ મુજબ બંધારણે જેને સવર્ણ નું લેબલ લગાવ્યું છે એવા કોઈ સમાજે આરક્ષણ વિરુદ્ધ કોઈ મોટા આંદોલન કર્યા હોય એવું બન્યું નથી.. આ સમય દરમિયાન વધતા શિક્ષણ અને ભાઈચારા ના કારણે કોઈક અંશે ભેદભાવ સમાજ માંથી દૂર થયો હતો..શહેરીકરણ ના કારણે આ ભેદભાવ વધુ ઝડપ થી ખતમ થતો જતો હતો..જો કે આ ભેદભાવ લાંબા સમય થી ઘર કરી ગયો હતો એટલે એને દૂર થતાં સમય તો લાગવાનો જ હતો પરંતુ એ એના રસ્તે સમય ની સાથે દૂર થઈ રહ્યો હતો..
સમાજ એક લય માં આગળ વધી રહ્યો હતો અને એ જોઈને સતા લાલચુ નેતાઓ ના પેટ માં તેલ રેડાયું અને એનું પરિણામ 1989 માં આવ્યું.. અમુક વર્ગ ઉપર અત્યાચાર થાય છે એમને રક્ષણ આપવા માટે 1989 માં કૉંગ્રેસ ની સરકારે SC ST એક્ટ લાવી અને પરિણામ એ આવ્યું કે જે ભેદભાવ ધીરે ધીરે વિલુપ્ત થઈ રહ્યું હતું એ ફરી પાસું એકટિવ થઈ ગયું..આ વખતે ભેદભાવ નું જે કારણ હતું તે ડર અને અસમાનતા .. કાયદા થી લોકો માં ડર ફેલાઈ ગયો અને અમુક વર્ગ પ્રત્યે લોકો માં નફરત ના બીજ રોપાયા જેના કારણે લોકો અમુક વર્ગ ને પાડોશ માં કે સોસાયટી માં ભાડે કે વેચાણ ઘર આપતા ડરવા લાગ્યા અને એમનાથી દુરી બનવવા લાગ્યા.. લોકો એમના સંપર્ક માં આવવાનું ટાળવા લાગ્યા.. સામાન્ય દુકાનો માં એમને નોકરી આપવાનું પણ ટાળવા લાગ્યા..છતાં પણ એ સમયે સામાજિક સમજણ અને મર્યાદા ના કારણે લગભગ ખોટા કેસો નહિવત થતા હતા એટલે ધીરે ધીરે લોકો માં એ ડર દૂર થવા લાગ્યો અને ફરી પાછો સમાજ મુખ્ય ધારા માં આવવા લાગ્યો અને ભેદભાવ આ વખતે વધુ ઝડપ થી દુર થવા લાગ્યો..
2010 ની આસપાસ સોશ્યિલ મીડિયા માં ક્રાંતિ આવી ચૂકી હતી અને બીજી બાજુ બામસેફ અને ભીમસેના જેવા કટ્ટર સંગઠનો નો ઉદય થઈ ગયો હતો..2014 પછી બીજી કેટલીક કટ્ટર વિચારધારાઓ નો ઉદ્દય થઈ ગયો અને આ કટ્ટર સંગઠનો અને વિચારધારા વાળા લોકોએ આ કાયદા નો ભરપૂર દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું..આ વાત જ્યારે સુપ્રીમ કોર્ટ માં પહોંચી તો બંધારણ ના મૂળ સમાનતા અને માનવતા ના સિદ્ધાંત ને જાળવી રાખવા સુપ્રીમ કોર્ટ આ કાયદા માં સામાન્ય ફેરફાર કર્યો..સુપ્રીમ કોર્ટ આ કેસ માં 7 દિવસ માં તપાસ પુરી કર્યા પછી જો ખરેખર ગુન્હેગાર હોય તો ગિરફતાર કરવાનો અને એ દરમિયાન જમાનત આપવાનો સુઝાવ કર્યો..આ નિર્ણય થી એક સમાજ માં કેટલાક પક્ષો એ ખોટો પ્રચાર કર્યો જેના પરિણામે સમાજ રસ્તા પર આવ્યો..સત્તાધીશ પક્ષ ને વોટ બેન્ક છીનવાઈ જવાનો ડર લાગ્યો અને એને અધ્યાદેશ લાવી સુપ્રીમ ના ચુકાદા ને રદ કર્યા અને કાયદા ને જુના સ્વરૂપ ની સાથે વધુ કડક બનાવ્યો અને સાથે સાથે ઓબીસી આયોગ ને સાવૈધનિક દરજ્જો આપી સમાજ ને 2018 મેં ફરી પછા 1989 ના વાતાવરણ માં ધકેલી દીધો .. આ વખત નો ડર વધુ હતો કારણ કે કટ્ટર સંગઠનો અને સોશ્યિલ મીડિયા ના બહોળા ઉપયોગ ન કારણે આ કાયદા નો હવે વધુ દુરુપયોગ થવાનો એવો ડર આજે સમાજ ના મોટા હિસ્સા માં વ્યાપેલો છે..અને થોડા દિવસો પહેલા બનેલા એકાદ બે કિસ્સા એ લોકો ને વધુ ડરાવી દીધા.. હવે આ ડરેલો સમાજ એક ખાસ વર્ગ ને સોસાયટી કે પાડોશ માં ઘર આપતા ડરશે..નાના દુકાનદારો એમને નોકરી આપતા ડરશે..લોકો એમના સંપર્ક માં આવવાનું ટાળશે..ટૂંક માં એ સમાજ ની બહોળા સમાજ દ્વારા દરેક ક્ષેત્ર માં ઉપેક્ષા વધી જશે અને જે ભેદભાવ લગભગ મરણ પથારી નજીક પહોંચવા આવ્યો હતો એ ફરી પાછો હુષ્ટપુષ્ટ અને પહેલા કરતા વધુ ખતરનાક બનશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી....આ ભેદભાવ સમાજ ને વેર વિખેર કરવામાં અગત્ય નો ફાળો આપશે અને જે હિન્દુત્વ ની એકતા માટે કહેવાતા લોકો ચિંતા કરી રહ્યા છે એમના જ આવા અસમાનતા રૂપી કાયદા ના સમર્થન થી હિન્દૂ સમાજ ની એકતા તૂટી જશે..
જો આ ભેદભાવ ને વકરતો અટકાવવો હશે તો હવે ખાસ સમાજ ના યુવાનો એ આગળ આવી આ કાયદા નો લાભ લેવાની જગ્યાએ વિરોધ નોંધાવવો પડશે.. હા આ વખતે એમને જ આગળ આવીને પહેલ કરવી પડશે..

No comments:

Post a Comment

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...