Thursday, September 6, 2018

સમરસતા

એક સમાજ માં ભૂતકાળ માં કહેવાતા અત્યાચાર થયા હતા.. જો કે એ અત્યાચાર નો સમયગાળો માણસે માણસે બદલાય છે એ વાત અલગ છે .. ત્યાર પછી દેશ માં અંગ્રેજો આવ્યા અને એમને સમાનતા નો સિદ્ધાંત અપનાવી બધા ને સમાનતા આપવા નો પ્રયત્ન કર્યો. ભારત આઝાદ થયા પછી કાયદા દ્વારા બધા ને સમાનતા મળી ગઈ.. ભૂતકાળ ને ક્યારેય બદલી શકાતો નથી પરંતું જો ભૂતકાળ દુઃખ દાયક હોય તો એમાંથી પ્રેરણા લઈ એમા રહેલી ખામીઓ ના કારણે વર્તમાન ખરાબ ના થાય એવા સમાજ ની રચના જ દેશ ને આગળ લઇ જવામાં અને સર્વ સમાજ ના વિકાસ માટે અગ્રીમ ભાગ ભજવી શકે છે...
પરંતુ જો ભૂતકાળ ની એ જ ભૂલો ને નવું સ્વરૂપ આપી સ્વીકારવામાં આવે તો ભૂતકાળ ની સાથે સાથે વર્તમાન અને ભવિષ્ય પણ દુઃખ દાયક બનવાનો.. અને દેશ કે સમાજ જ્યાં હતા કે છે ત્યાં ના ત્યાં જ રહેવાના.. આજે કેટલાક સુધારા વાદીઓ એ ભૂતકાળ ની એ ભૂલો ને કાયદા માં રૂપાંતરિત કરીને એ ભૂલો ને વધુ મેં વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે જે સમાજ ના વર્તમાન અને ભવિષ્ય ને ભરખી જશે ... ભૂતકાળ માં ભેદભાવ દ્વારા જે વર્ગ નું કથિત શોષણ થયું છે એ વર્ગ ને સુધારાવાદી અને સરકાર ભૂતકાળ માં કથિત શોષણ કરનાર વર્ગ નું શોષણ કરવાની જે સવલત આપી રહ્યું છે એ ક્યારેય સમરસતા નહીં લાવી શકે.. ઉલટાનું ભેદભાવ ની જે કથિત નીતિ ના કારણે ભૂતકાળ દુઃખદાયક રહ્યો છે એ જ ભેદભાવ વર્તમાન માં ચલાવવા થી વર્તમાન અને ભવિષ્ય પણ વધુ પીડા દાયક બનશે અને સમાજ ને વેર વિખેર કરી નાખશે..

No comments:

Post a Comment

મોદીજી અને વૈચારિક વિકાસ..

હમણાં રથયાત્રા નિમિતે બંધોબસ્ત માં આવેલા આર્મી ના જવાનો નું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું.. મારી જાણ મુજબ કદાચ લોકો માં પહેલા સૈન્ય પ્રત...